સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

પોરબંદરમાં ઇવીએમની કરામત અંગે વિવિધ ચર્ચા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર,તા. ૩: સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીના પરીણામોમાં ઇવીએમના કરામત અંગે વિવિધ તર્ક વિર્તકો સાથે ચર્ચા થઇ રહી છે. રાજ્યના મહાનગરપાલિકાની ચૂૂંટણીના પરીણામો અંગે ઇવીએમની કરામતની ચર્ચા બાદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીના પરીણામ પાછળ ઇવીએમની કરામત અંગે ચર્ચા ઉઠી છે.

માણેક ચોક ઓટલા સમિતિના જમનમામાએ ચૂંટણી પરીણામો અંગે વિવિધ વર્ગના લોકોના પ્રતિભાવ જાણી કરેલા સર્વેમાં પરિણામો અંગે અસંતોષ વ્યકત કરેલ છે. પ્રબુધ્ધ નાગરિકો મતદાનથી દુર રહ્યા હતા. તેમ કહેવાય છે.

(1:49 pm IST)