વાંકાનેરમાં સોમવારે પૂ.જલારામબાપાની પૂણ્યતિથી નિમિતે ફળેશ્વર મંદિરે પૂજાવિધી
(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા. ૩ : વાંકાનેર મા જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણુ એતાંસિક પૂજ્ય શ્રી મુનીબાવા ની પ્રશિદ્ધ જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ સંત શિરોમણી જલારામબાપાના મંદિરમા તા. ૮ ને સોમવારે (મહા વદ દસમ ) ના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામબાપા ની (૪૦ મી) પુણ્યતિથિ નિમિતે સવારના પૂજ્ય સંત જલારામબાપાનું પૂજન અર્ચનવિધિ ભકિતમય ના દિવ્ય માહોલ વચ્ચે શાસ્ત્રીજી મેહુલભાઈ મારાજ કરાવશે પૂજાવિધિમા ફળેશ્વર મંદિર ના પૂજ્યજલારામબાપા ના ભકતજન વાંકાનેર ના સમીર ટ્રેડર્સવાળા બાબભાઇ લાખાણી, વિનુભાઈ લાખાણી, મહેશભાઈ લાખાણી , લાખાણી પરિવાર બેસસે, તેંમજા સંત શિરોમણી જલારામ બાપાની પુણ્યતિથિ નિમિતે પૂજ્ય જલારામબાપાની મહા આરતી કરવામાં આવશે , તેમજ નિજ મંદિર ને પુષ્પોહાર થી સજાવટ કરવામાં આવશે જૅ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ના સંચાલક શ્રી વિશાલભાઈ પટેલે જણાવેલ છે.