સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

રાજ્‍યપાલ બે દિ' ભાવનગર જિલ્લાની મુલાકાતે

ભાવનગર તા.૩ : રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તા.૩ તથા તા.૪ ના રોજ ભાવનગર જિલ્લાની બે દિવસની મુલાકાતે પધારનાર છે.જેમાં તેઓ તા.૩ અને બુધવારના રોજ બપોરે ૧.૩૦ કલાકે અલંગ શીપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત લેશે.ત્‍યારબાદ સાંજે ૫ કલાકે રાજયપાલશ્રી જોગર્સ પાર્ક,આતાભાઈ ચોક,ભાવનગર ખાતે સ્‍વચ્‍છતા અભિયાનમાં સહભાગી થશે.

ત્‍યારબાદ બીજા દિવસે તા.૪ અને ગુરુવારના રોજ સવારે ૮.૪૫ કલાકે રાજયપાલશ્રી સોનગઢ ખાતે આવેલ ગુરુકુળની મુલાકાત લેશે.ગુરુકુળની મુલાકાત બાદ બપોરે ૧૧ કલાકે મહારાજા કૃષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતેના અટલ ઓડિટોરિયમમાં યુનિવર્સિટીના સાતમા પદવીદાન સમારોહમાં કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને ઉપસ્‍થિત રહેશે.

(11:22 am IST)