દામનગર ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞ યોજાયો
દામનગરઃ શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સ્વ માતુશ્રી દેવકુંવરબેન નટવરગિરી ગોસાઈની પુણ્યસ્મળતિ માં ૪૬ મો નેત્રયજ્ઞ યોજાયો સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ રાજકોટ હોસ્પિટલની તબીબી સેવા એ ૪૬મો નેત્રયજ્ઞ એવમ હોમિયોપેથીક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો સ્વ માતળશ્રી દેવકુંવરબેન નટવરગિરી ગોસાઈની પુણ્યસ્મળતિમાં સદગતના પુત્ર વિનુભાઈ,સુરેશભાઈ, દિનેશભાઈ, રતભાઇ, મુકેશભાઈતથા પરિવારના આર્થિક સૌજન્ય થી યોજાયેલ નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન કેમ્પમાં આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર વિના મૂલ્યે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટના નિષ્ણાંત તબીબોએ આપેલ . આ નેત્રયજ્ઞમાં દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ મેળવ્યો હતો. સી એ સી હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પ માં ડો મનીષભાઈ જેઠવા એ સેવા આપી હતી. (તસ્વીર-અહેવાલ : વિમલ ઠાકર,દામનગર)