News of Friday, 2nd December 2022
જામનગરમાં બે સગા ભાઈઓ ઉપર છરીના ઘા ઝીંકાયા: એકનું મોત બીજો ગંભીર :સામાન્ય બોલાચાલીમાં અજાણ્યા શખ્શોએ કર્યો હુમલો
ગોરધન પર ઈંડા કરીની રેંકડીએ સરમતના ખીમરાજ રાજાણી અને દેવદાસ રાજાણી પર પાંચથી છ શખ્શોએ છરી વડે હુમલો કર્યો
જામનગરના ગોરધન પર નજીક ઈંડા કરીની રેકડીએ સરમતના ખીમરાજ રાજાણી અને દેવદાસ રાજાણી નામના બંને ભાઈઓ ગયા હતા જ્યાં સામાન્ય બોલાચાલીમાં પાંચથી છ જેટલા અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરતા બંનેને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં એકનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજ્યું છે જ્યારે અન્ય યુવકની હાલત પણ ગંભીર ગણાવાઇ રહી છે. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ કાફલો તાબડતોબ દોડી ગયો છે અને તપાસ હાથ ધરી છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(11:37 pm IST)