News of Monday, 2nd December 2019
જેતપુરના દેવકી ગાલોરમાં ખેડૂતે જમીનમાં સમાધિ સાથે વીજ તંત્રની દાદાગીરી સામે રોષ વ્યક્ત કર્યો
ખેતીની જમીન વિધિવત રીતે કલેકટરને સોંપી દેવાની ખેડૂતોએ જાહેરાત કરી
રાજકોટના જેતપુરના દેવકી ગાલોર ગામે ખેડૂતે જમીનમાં સમાધિ સાથે વીજ તંત્રની દાદાગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે.
દેવકી ગાલોર ગામે 66 કેવીની વીજલાઈન માટે ખેતરમાં વીજપોલ નાખવાના હતા. અને જેટકોએ પોલીસ બંદોબસ્ત સાથે ખેતરમાં લહેરાતા પાકને ખેદાન મેદાન કરી. ટાવર માટે ખાડા ખોદયા હતા.જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. અને આથી જમીનમાં સમાધિ લઈને ખેતીની જમીન વિધિવત રીતે કલેકટરને સોંપી દેવાની ખેડૂતોએ જાહેરાત કરી હતી
(1:03 pm IST)