સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd November 2020

મોરબીના લાલપરમાં છરીના ઘા ઝીંકીને યુવકની હત્યા કરનારા ૩ શખ્સોને શોધખોળ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨: મોરબીના લાલપર ગામ પાસે આવેલ સબ સ્ટેશન પાછળના ભાગમાં બાઈકમાં આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ એક યુવાનને છરી બતાવવા તે નાસી ગયો હતો અને અન્ય યુવાન ત્યાં આવતા નાસી છુટેલ યુવાનની મદદે આવ્યો હોવાનું સમજીને ત્રણ ઇસમોએ યુવાનને છરીના ઘા ઝીંકી દેતા યુવાનનું મોત થયું છે જે બનાવ મામલે ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના લાલપર પાસેના લેટીના સિરામિકમાં મજુરીકામ કરતા લીલાબેન ઉર્ફે લલીતાબેન વરસિંગભાઈ વહનીયા (ઉ.વ.૪૨) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિની ગઈકાલે ત્રણ અજાણ્યા ઇસમોએ હત્યા કરી હતી જે ફરિયાદમાં જણાવ્યું છે કે લેટીના સિરામિક પાસેથી સાંજના સુમારે સુનીલભાઈ પોતાનું કામ પૂરું કરીને રૂમ તરફ જતા હોય ત્યારે બાઈક પર આવેલ અજાણ્યા ત્રણ ઇસમોએ તેનો કાઠલો પકડીને છરી બતાવી હતી ત્યારે સુનીલ નાસી ગયો હતો.
દરમિયાન ફરિયાદી લીલાબેનના પતિ વરસિંગભાઈ ત્યાંથી પસાર થતા હતા જેથી ત્રણ અજાણ્યા ઈસમો નાસી ગયેલા યુવાનને છોડાવવા આ યુવાન આવ્યો હોય તેવું અનુમાન લગાવી છરીનો દ્યા છાતીમાં ઝીંકી દીધો હોય જેથી યુવાનનું મોત નીપજયું હતું મોરબી તાલુકા પોલીસે ત્રણ અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુન્હો નોંધી ઝડપી હત્યારાઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

 

(12:53 pm IST)