સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd November 2020

ઉના આમઆદમી પાર્ટી દ્વારા ધરણા

 ઉના : આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા બળાત્કાર વિરોધી દિન અંતર્ગત ગીર સોમનાથ જીલ્લા આમ આદમી પાર્ટી તરફથી પાર્ટીના જીલ્લા પ્રમુખ દિનેશભાઈ મોરીની રાહબરી નીચે ઉનાના ત્રિકોણબાગ વિસ્તારના આંબેડકર ચોકમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં પાર્ટીના આગેવાનો મનુભાઈ મોરી - મહામંત્રીશ્રી ગીર સોમનાથ , રાજુભાઈ ગટેચા - પ્રમુખ ઉના તાલુકા , ભરતભાઈ કામળીયા - મહામંત્રી ઉના તાલુકા ,રાજેશભાઈ મકવાણા - ઉના શહેર પ્રમુખ , હર્ષદભાઈ બાંભણીયા - ઉના શહેર ઉપ પ્રમુખ , યશભાઈ વાજા અને ડોળાસાના આમ આદમી પાર્ટીના અદના કાર્યકર શ્રી પ્રતાપભાઈ પરમાર તેમજ અન્ય યુવા કાર્યકરો હાજર રહેલા.ગીર સોમનાથ જીલ્લાના પ્રભારીશ્રી બાવચંદભાઈ ભાલીયા કાર્યકરોનો ઉત્સાહ વધારવા ઉના પહોચેલા .ધરણા યોજીને બળાત્કારના વધતા બનાવો સામે સુત્રોચ્ચાર કર્યા તે તસ્વીર.

(11:41 am IST)