સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 2nd October 2022

અલ્પેશ ઠાકોર ફરી મેદાનમાં આવતા રાજકારણમાં ગરમાવો:વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક

બેઠકમાં ભરવાડ, રાણા, નાઇ, યોગી, આહીર, દલિત, ચૌધરી તેમજ બ્રાહ્મણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં

રાધનપુરમાં અલ્પેશ ઠાકોર ફરી મેદાનમાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાધનપુર સર્કિટ હાઉસમાં અલગ અલગ સમાજના આગેવાનો સાથે અલ્પેશ ઠાકોરે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભરવાડ, રાણા, નાઇ, યોગી, આહીર, દલિત, ચૌધરી તેમજ બ્રાહ્મણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

  રાધનપુર વિધાનસભાની બેઠક પર અલ્પેશ ઠાકોર ચૂંટણી લડે તેવી શક્યતા છે..જો કે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ સાથે 3 મહિનાથી રાધનપુરમાં ભાજપના આગેવાનોમાં અસંતોષ ચાલી રહ્યો છે..ભાજપના પૂર્વ ધારાસભ્યો અને આગેવાનો પણ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ સાથે સંમેલનો યોજી રહ્યા છે..જેને પગલે અલ્પેશ ઠાકોર ફરી મેદાનમાં આવતા રાધનપુરનું રાજકારણ ગરમાતા બેઠકોનો દોર શરૂ થયો છે.

(7:26 pm IST)