સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 2nd August 2020

જસદણમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા : કૈલાશનગર,વડલાવાડી વિસ્તાર અને આટકોટના ધનશ્યામનગરમાં કોરોના કેસ નોંધાયા

જસદણ શહેરના કૈલાશનગર  વિસ્તારમાં રહેતા પુનમબેન પંકજભાઈ શુક્લ (ઉ.વ. 57) વડલાવાડી વિસ્તારમાં રહેતા નાથીબેન નાગજીભાઈ ડોબરીયા (ઉ.વ.70 )અને જસદણ તાલુકાના આટકોટ ગામે ગઢ નજીક ઘનશ્યામ નગરમાં રહેતા બિપીનભાઈ ધર્મેશભાઈ જેઠવા (ઉ.વ.43 )નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

 અત્યાર સુધીમાં જસદણ પંથકમાં કોરોનાને લીધે કુલ સાત વ્યક્તિના મૃત્યુ થઈ ચુક્યા છે. અને અંદાજે પાત્રીસથી વધારે લોકે કોરોનની સારવાર માટે હોસ્પિટલમાં છે. જ્યારે  એશીથી વધારે લોકો કોરોનાને પરાસ્ત કરી સાજા થઈ ચુક્યા છે.

(8:56 pm IST)