સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 2nd August 2020

મોરબીમાં કોરોના કેડો મુકતો નથી : વધુ 12 કેસ પોઝીટીવ : બે મૃત્યુ : મૃત્યુઆંક 24 થયો

જીલ્લામાં કુલ કેસનો આંક ૩૬૯ થયો :૧૩૯ એક્ટીવ કેસ, ૨૦૬ દર્દીઓ સાજા થયા

મોરબી જીલ્લામાં આજે વધુ ૧૨ કેસ નોંધાયા અને ૨ મૃત્યુ થયા છે જયારે ૧૩ દર્દીઓને હોસ્પિટલ પરથી રજા અપાઈ છે આજે  બે દર્દીના મૃત્યુ થયા છે મોરબીના કાલિકા પ્લોટ શિવ સોસાયટીના ૪૮ વર્ષના પુરુષનો અને રવાપર રેસીડેન્સીના ૫૮ વર્ષના પુરુષનો જે બંને દર્દીના મૃત્યુ થયા છે વધુ ૧૨ કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૬૯ થયો છે જેમાં ૧૩૯ એક્ટીવ કેસ, ૨૦૬ દર્દીઓ સાજા થયા છે જયારે કુલ ૨૪ દર્દીના મૃત્યુ થયા છે
 

(8:47 pm IST)