સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 2nd August 2020

ભાવનગરમાં કોરોનાનો કહેર : વધુ 72 કેસ પોઝીટીવ : બે દર્દીઓના મૃત્યુ :મૃત્યુઆંક 28 થયો

જિલ્લામાં નોંધાયેલા કોરોનાના ૧,૫૧૯ કેસો પૈકી ૪૫૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ:

ભાવનગર:ભાવનગર જિલ્લામા આજરોજ ૭૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૫૧૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૯ પુરૂષ અને ૧૭ સ્ત્રી મળી કુલ ૪૬ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના સાતપડા ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, સિહોર ખાતે ૧, તાળાજાના પાંચપીપળા ગામ ખાતે ૯, તળાજા ખાતે ૧, તળાજાના નેસીયા ગામ ખાતે ૧, તળાજાના દેવલી ગામ ખાતે ૧, તળાજાના જસપરા ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૧, ઉમરાળાના ઈંગોરાળા ગામ ખાતે ૧, વલ્લભીપુરના હડિયાદ ગામ ખાતે ૧ તથા વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૨૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૬ અને તાલુકાઓના ૨૭ એમ કુલ ૬૩ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ સિહોર ખાતે રહેતા ૧ અને ભાવનગર ખાતે રહેતા ૧ કોરોના પોઝિટિવ દર્દીનુ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧,૫૧૯ કેસ પૈકી હાલ ૪૫૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧,૦૩૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૨૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:25 pm IST)