મોરબી જીલ્લામાં કોરોનાના વધુ ૧૬ કેસ નોંધાયા : વધુ એક દર્દીનું મોત : કુલ કેસનો આંક 357 થયો
૧૪૨ એક્ટીવ કેસ છે તો ૧૯૩ દર્દીઓ સ્વસ્થ થયા
મોરબી: જીલ્લામાં આજના નવા કેસમાં મોરબીના મંગલદીપ એપાર્ટમેન્ટના ત્રણ કેસમાં ૫૨ વર્ષના મહિલા, ૩૦ વર્ષના મહિલા અને ૩૪ વર્ષના મહિલા, શનાળા રોડ શક્તિ પ્લોટ 4 ના બે કેસમાં ૨૦ વર્ષની મહિલા અને ૧૬ વર્ષની સગીરા, મહેન્દ્રપરાના ૫૦ વર્ષના મહિલા , વૃંદાવન પાર્કના ૫૨ વર્ષના પુરુષ, અરુણોદયનગરના ૩૬ વર્ષના પુરુષ, વાંકાનેરના દરબારગઢ પાસે રહેતા ૫૬ વર્ષના પુરુષ, વાંકાનેરના વૃદ્ધાશ્રમ આશ્રમ ક્વાર્ટરમાં રહેતા ૨૫ વર્ષના પુરુષ, મોરબીના રવાપર રોડના ૬૦ વર્ષના પુરુષ, વજેપરના ૫૮ વર્ષના પુરુષ, લાલબાગમાં ૩૮ વર્ષના મહિલા, ૧૬ વર્ષની સગીરા, રવાપર રામજી મંદિર વાળી શેઈરના ૫૫ વર્ષના મહિલા અને કુબેરનગર વાવડી રોયલપાર્કના રહેવાસી ૬૫ વર્ષના પુરુષ એમ ૧૬ કેસ પોઝીટીવ આવ્યા છે
આજે વધુ ૯ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે તો મોરબીના વજેપરના ૫૮ વર્ષના પુરુષનું કોરોનાને પગલે મોત થયું છે મોરબી જીલ્લામાં નવા ૧૬ કેસો સાથે કુલ કેસનો આંક ૩૫૭ થયો છે જેમાં ૧૪૨ એક્ટીવ કેસ છે તો ૧૯૩ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે જીલ્લામાં કુલ ૨૨ દર્દીના મોત થયા છે