News of Saturday, 1st August 2020
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગાંઠીલા શ્રી ઉમિયાધામ મંદિર તા. ૯ થી ૧૬ ઓગસ્ટ સુધી બંધ રહેશે : કોરોના મહામારી ના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય
જૂનાગઢ ::: જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગાંઠીલા શ્રી ઉમિયાધામ મંદિર તા. ૯ થી ૧૬ ઓગસ્ટ સુધી બંધ રહેશે . કોરોના મહામારી ના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લાના વંથલી નજીકના ગાંઠીલા ખાતે આવેલ શ્રી ઉમિયા માતાજી મંદિર હાલની કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાને લઇને મંદિર પરિસર , યાત્રી નિવાસ , ભોજનશાળા સહિતની સેવાઓ તારીખ ૯ થી ૧૬ ઓગસ્ટ સુધી સંપૂર્ણ બંધ રાખવામાં આવશે તેમ ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છે
(4:05 pm IST)