સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

અધધધ... ૧૬ કરોડ ૮૧ લાખ રામભદ્રજીના મંદિર માટે વ્યાસપીઠની અપીલથી આવ્યા...

આજ સાંજ સુધી હજુ ફાળો આવે તેવી સંભાવના

જામનગર તા. ૧ તલગાજરડાની સીમમાં પીઠોડીયા હનુમાનજીના સાંનિધ્યમાં ચાલતી પૂ. મોરારીબાપુની કથામાં બાપુએ તા. ર૭-૭-ર૦ તુલસી જયંતીના દિવસે રામકથા ફલાવર્સને રૂ. પ કરોડ રામ મંદિર માટે દેશ-વિદેશમાંથી ભેગા કરી લેવા અપીલ કરેલ જે આજ સવાર સુધીમાં ભારતમાંથી ૧૦ કરોડ પચાસ લાખ, યુએ-કેનેડામાંથી ૩ કરોડ પ૧ લાખ અને યુકે-યુરોપ માંથી બે કરોડ એંસી લાખ જેવી રકમ રામ મંદિર માટે એકઠી થઇ ગઇ છે. હજુ આજ સાંજ સુધી સ્વીકારવાની છે.

આવતીકાલે જે રકમ 'માનસ સમરથ' કથા ના છેલ્લા દિવસે રકમ જાહેર કરશે. પૂ. મોરારીબાપુની આ ૮૪૬ મી રામકથા છે. 

(1:24 pm IST)