ધ્રોલમાં ભરવાડ સમાજ દ્વારા શોભાયાત્રા
ભરવાડ સમાજ તરફથી અષાઢી બીજના પાવન પર્વ પ્રસંગે તેમના કુળદેવી શ્રી મચ્છુ માતાજીના પ્રાગટય દિનને ધામધુમપૂર્વક ઉજવવામાં આવેલ. ધ્રોલના સમસ્ત ભરવાડ સમાજ શ્રી મચ્છુ માતાજીની શોભાયાત્રામાં ભકિત ભાવપૂર્વક જોડાયેલ આ યાત્રા ભરવાડ સમાજની વાડી ખાતેથી પ્રસ્થાન થઇને જોડીયા રોડ, ગાંધી ચોક, મેઇન બજારમાંથી શ્રી મચ્છુ માતાજીના મંદિરે માતાજીનુ પુજન -અર્ચન તથા ધ્વજારોહણ કરવામા આવેલ. બાદમાં આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇને સમાજની વાડી ખાતે પરત આવેલ. શ્રી મચ્છુ માતાજીની આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયેલ અને ભરવાડ સમાજના પરંપરાગત હુડો રાસની રમઝટ શોભાયાત્રામાં બોલાવી હતી. ભરવાડ સમાજનું સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ તેમજ સમાજના તેજસ્વી તારલાઓનુ આગેવાનો દ્વારા સન્માન કરાયુ હતુ.(તસ્વીર-અહેવાલઃ હસમુખરાય કંસારાઃ ધ્રોલ)