સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

જુનાગઢમાં વરસતા વરસાદ વચ્‍ચે રથયાત્રા બંદોબસ્‍ત જાળવતી પોલીસ

જુનાગઢઃ ગઇકાલે અષાઢી બીજ નિમિતે મેઘરાજાએ મેઘ મહેર કરતા વરસતા વરસાદ વચ્‍ચે જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી. ત્‍યારે પ્રજાની સલામતીની જવાબદારી જેમના શીરે છે તેવી જુનાગઢ જીલ્‍લાની પોલીસ દ્વારા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો હતો. ઉપરોકત તસ્‍વીરમાં વરસતા વરસાદ વચ્‍ચે ભીંજાય અને બંદોબસ્‍ત જાળવતા સી ડીવીઝનના પીએસઆઇ જે.જે.ગઢવી, ઇન્‍દુભા ઝાલા તથા રોહીતભાઇ ધાંધલ સહીતના પોલીસ કર્મીઓ નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

 

(1:55 pm IST)