સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

જૂનાગઢમાં વિહિપ - બજરંગ દળ દ્વારા વૃક્ષારોપણ

જૂનાગઢ : વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગદળ ટીમ દ્વારા વળક્ષારોપણ કાર્યક્રમ જોષીપરા, સ્‍વામી વિવેકાનંદ પ્રખંડ ખંડ ૨, અગ્રાવત ચોક, વિધાતા નગર,  ફાર્મસી ફાટક પાછળ, આગંણ વાડી કેન્‍દ્ર ખાતે યોજાયો હતો. જેમાં મહાનગરના સહ મંત્રી જયેશભાઇ ખેસવાની, પ્રખંડ મંત્રી હાર્દીકભાઈ મણિયાર, પ્રખંડ સહમંત્રી નથુભાઈ આહીર, મહાનગર સેવા સંયોજક વિપુલભાઈ રાવત, મહાવિદ્યાલયન સંયોજક કુલદીપભાઈ માલમ, બજરંગદળના કાર્યકર્તા પરેશભાઈ લાથિયા, અરવિંદભાઈ જેઠવા, હિતેશભાઈ જેઠવા, રમેશભાઈ પરમાર, મેઘલભાઈ ઓઝા, ઉમેશભાઈ પરમાર, સહદેવભાઈ પીપલીયા, રામદેવભાઈ પીપલીયા, જોરૂભાઈ પીપલીયા, જગદીશભાઈ દરજી તેમજ ખીમજીભાઈ આહીર ઉપસ્‍થિત રહ્યા હતા. ઉપરાંત પરિવારમાંથી હેતલબેન પટેલ, જલ્‍પાબેન તેમજ ભાવિશાબેન રાવત ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

 

(12:59 pm IST)