મેદરડામાં આંતકવાદના પૂતળાનું દહન
મેîદરડા: રાજસ્થાનના ઉદયપુર ખાતે યુવાન કનૈયાલાલ ની વી ધર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી તેના અનુસંધાને મેંદરડા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ યુદ્ધ ઍજ કલ્યાણ ગ્રુપ દ્વારા બે મિનિટ નું મોન પાડી સૂત્રોચાર સાથે પૂતળું દહન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજ જોડાયો હતો હત્યારાઓ ને વહેલી તકે ફાસી મળે તમેજ કનૈયાલાલ ના પરિવારને વહેલી તકે ન્યાય મળે ઍવી માંગણીઓ કરવામાં આવી દેશભરમાં આ ઘટનાના પડઘા પડ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્નાં છે જ્યારે મેંદરડા પાદર ચોક ખાતે પૂતળા દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સંતો હાજર રહી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. (૨૫.૬)