ચોટીલામાં દેવીપૂજક યુવકની હત્યા
ચાર શખ્સો એ ગઇ કાલે હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડેલ જે જીવલેણ બની
ચોટીલા તા.૨ : ચોટીલા હાઇવે ઉપર આવેલ હનુમાનજીની ધાર ઉપર ઝુપડામાં રહેતા એક દેવી પુજક શખ્સ ની ઈજા પામેલ હાલતમાં લાશ હોવાની જાણ થતા પોલીસે હત્યા અંગે તપાસનો ધમધમાટ હાથ ધરેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ બાજુ ઉકાભાઇ સાડમીયા ને ચાર લોકો એ સરકારી ગોડાઉન નજીક આવેલ શાળાની દિવાલ પાસે શુક્રવારના બપોર બાદ હુમલો કરેલ હતો જેમા ગંભીર ઇજા પામતા રેફરલ હોસ્પિટલ પ્રાથમિક સારવાર આપી માથામાં ગંભીર ઇજા હોવા થી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ હતો પરંતુ ઇજાગ્રસ્ત સારવાર માટે રાજકોટ લઈ જવાને બદલે તેના પરીવારના લોકો તેના ઝુપડે લઈ ગયેલ આજે સવારે તે નહી ઉઠતા મરણ પામતા મારામારી હત્યામાં પરીણામેલ હતી
ધોળે દિવસે ટાઉનમાં પોલીસ સ્ટેશન નજીકજ મારા મારી ની ઘટના ઘટે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય અને મરણ પામે છતા પણ પોલીસ હકિકત થી અજાણ રહે તેવી ઘટના ઘટતા ચર્ચા નો વિષય બનેલ છે.
હાલ ચોટીલા પીઆઇ આઇ.બી.વલવી, કેતનભાઇ ચાવડા સહિતનાએ લાશ નો કબ્જો લઇ પી.એમ માટે ખસેડી હત્યા અંગે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરેલ છે.