ગોંડલમાં મૂર્તિ પધરામણી મહોત્સવ
ગોંડલ : શહેરમાં વિશ્વેશ્વર મહાદેવના નવનિર્મિત થયેલા મંદિરમાં મૂર્તિ પધરામણી માટે બે દિવસીય મહોત્સવનું યોજાયો હતો. જેમાં જલયાત્રા કલ્પેશભાઈ બાબુભાઈ વસોયાના ધરેથી યાત્રા નીકળીે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ફરીને ધનસુખભાઈ નંદાણીયાના ઘરે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું તથા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. શિવ આરાધનાનો કાર્યક્રમ રાખાયો હતો જેમાં દેવ ભટ્ટ દ્વારાં ૩૫ કલાકારો સાથે ભગવાન શિવજીનું નળત્ય કરાયું હતું. ઉપરાંત કલાકારો દ્વારા ભજનોનો રમઝટ પણ બોલાવવામા આવી હતી. આ તકે સંતો મહંતો, રાજકીય આગેવાનો સહિત જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી સહિતનાઓ હાજર રહ્યા હતાં.(ુઁતસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી ગોંડલ)