સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

વરૂણદેવને પ્રાર્થના ફળી : ૧૨ ડેમમાં ૦ાાથી ૧૦ ફુટનો વધારો : લોકોના હૈયા ખુશખુશાલ

રાજકોટના ૮, જામનગરના ૩ અને સુરેન્‍દ્રનગરના ૧ ડેમમાં નવા નીર: ફોફળ, મોજ, આજી-૩, ન્‍યારી-૨, મોતીસર, છાપરવાડી ૧-૨, ભાદર-૨, ફુલઝર-૧, ફોફળ-૨, ઉંડ-૩ તથા ભોગાવો -૨માં છેલ્લા ૨૪ કલાકમાં પાણીની આવક

રાજકોટ,તા. ૨ : ગઇ કાલ સુધી સૌરાષ્‍ટ્રના ૪૩ ડેમો તળીયા જાટક હતા. ત્‍યારે મેઘરાજાએ મહેર વરસાતા છેલ્લા ૨૪ કલાકમાં જ ૧૨ ડેમોમાં ૧ ફુટથી લઇને ૯ ફુટ સુધી નવા નીર ઠાલવતા લોકોમાં હર્ષની સાથે પાણીની પળોજણમાંથી રાહત મળી છે. સૌરાષ્‍ટ્રના રાજકોટ, જામનગર અને સુરેન્‍દ્રનગર જીલ્લામાં ડેમોમાં પાણીની આવક થઇ છે.

 

(11:25 am IST)