સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd July 2021

મોરબીના જેતપર રોડ પર કારખાનામાં દીવાલ ધસી પડતા ત્રણ શ્રમિકો દબાઈ જતાં સારવારમાં ખસેડાયા.

મોરબીના જેતપર રોડ પર સિરામિક ફેકટરીમાં દીવાલ ઘસી પડતા ત્રણ શ્રમિકો દબાયા હોય જેથી ઈજાગ્રસ્ત ત્રણ શ્રમિકોને સારવાર અર્થે ખસેડાયા છે તો એક શ્રમિકને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે
 મોરબીના જેતપર રોડ પર બેલા ગામ નજીક આવેલ કોસીના સિરામિક ફેકટરીમાં શ્રમિકો કામ કરતા હોય ત્યારે કારખાના અંદર એક દીવાલ પડી હતી જે દુર્ઘટનામાં અહી કામ કરી રહેલા નરેશભાઈ પારસિંગભાઈ ભીલ (ઉ.વ.23), સરોજબેન ખેલસિંગ ભીલ (ઉ.વ.30) અને ખેવસિંગ દીપસિંગ ભીલ (ઉ.વ.32) ઉપર દીવાલ માથે પડતા દબાઈ ગયા હતા જેથી ત્રણેય શ્રમિકને ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા હતા તો નરેશભાઈ ભીલ નામના શ્રમીકની હાલત નાજુક હોવાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે

(10:26 pm IST)