સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd July 2020

વાંકાનેરમાં પિતા-પુત્ર કોરોના મુકત થતા રજા અપાઇઃ ત્યાં મહિલાનો રિપોર્ટ પોઝીટીવ

મોરબી,તા.૨: મોરબી જીલ્લામાં કોરોનાના સતત કેસો વધી રહ્યા છે જેને પગલે તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે અનલોક ૧ ની શરૂઆતથી જ કેસો આવી રહ્યા છે તો આજે મોરબી જીલ્લામાં વધુ એક કેસ પોઝીટીવ આવ્યો છે જેમાં વાંકાનેરની અમરનાથ સોસાયટીના ૫૫ વર્ષના મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો.

મળતી માહિતી મુજબ વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં પિતા-પુત્રને કોરોનાનો રીપોર્ટ થોડા દિવસ પહેલા પોઝીટીવ આવ્યો હતો અને તે વિસ્તારને કન્ટેમેન્ટ ઝોન કરવામાં આવ્યું હતું તો આજે બંને પિતા-પુત્ર સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે

પરંતુ તે કન્ટેમેન્ટ ઝોનમાં રહેતા ૫૫ વર્ષના મહિલાને શંકાસ્પદ લક્ષણો જણાતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું જેનો રીપોર્ટ આજે પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને ચકાસણી હાથ ધરવામાં આવી છે તો હાલમાં પોઝીટીવ મહીલા રાજકોટ સારવારમાં હોવાનું જાણવા મળ્યું છે.(

(12:57 pm IST)