સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd July 2020

કેશોદના કારવાણી ગામે યુવતિએ ગળાફાંસો ખાતા મોત

કેશોદ, તા. ર : અત્રેના કારવાણી ગામે એક યુવતિએ ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મોત નિપજેલ છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કારવાણી ગામે રહેતા વંદનાબેન કિશોરભાઇ પાતર (ઉ.વ.રર) એ કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા અહીંની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તેણીનું મોત નિપજેલ છે.

આ અંગે તેમનો મૃતદેહ અત્રેની સરકારી હોસ્પિટલે લવાતા ફરજ પરના ડો. એ.ટી. ભીમાણીએ પીએમની પ્રક્રિયા કર્યા બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપેલ હતો.

આ અંગેની તપાસ ડીવાયએસપી ગઢવી ચલાવી રહેલ છે.

(11:34 am IST)