કચ્છનાં ગાંધીધામમાં બહેન ઉપર કુદ્રષ્ટિ કરતા રાજસ્થાની યુવકની હત્યા
ભુજ તા. ૨ : ગાંધીધામના ભારતનગરમાં ૪૫ વર્ષના યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા થઇ છેઙ્ગ ધમધમતા વિસ્તારમાં સમી સાંજે હત્યાનો ગુનો બનતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ મરનાર સુરેશ કશ્યપ મૂળ રાજસ્થાનનો વતની હતો અને ભારતનગરમાં એકાકી જીવન જીવતો હતો. સુરેશ ઘરે જ ગેરેજનું કામકામ કરી પેટિયું રળતો હતો. આજે સાંજે નજીકમાં રહેતાં ભરત ફફલ નામના યુવકે તેની સાથે ઝઘડો કરી છરી વડે ગળું વેતરી નાખી હત્યા કરી હતી
આરોપી ભરતની બહેન પર સુરેશે કુદ્રષ્ટિ કરી હોવાના કારણે બેઉ વચ્ચે ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું છે. પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લઈ સઘન તપાસ હાથ ધરી છે. ઘટનાના પગલે એ ડિવિઝનના મહિલા પોલીસ ઈન્સ્પેકટર સાગઠિયા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને પંચનામું-ફરિયાદ નોંધવા સહિતની કામગીરી હાથ ધરી છે.