બગોદરા પાસે તળાવામાં ડુબી જવાથી ૨ બાળકોના મોત
તળાવમાં ન્હાવા પડેલા બાળકોના મોતથી દેવીપૂજક પરિવારમાં અરેરાટી
વઢવાણ તા.૨: બગદરા ખાતે ગરમીના તાપમાન અને ગરીમમાં અકળાયેલા બે બાળકો તળાવમાં પાણી જોઇ અને તળાવમાં ન્હાવા માટે પડયા બાદ પાણીમાં ગરકાવ થતા ભારે દેકારો મચ્યો હતો ત્યારે આ તળાવમાં ડુબેલા બન્ને બાળકો પલવારમાં તળાવના પાણીમાં ગરકાવ થઇ જતા શોક છવાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ બગોદરા પાસેના બળીયાદેવ મંદિર પાસે આવેલા બગોદરા ગામના તળાવમાં અજીત ચંદુભાઈ દેવીપૂજક (ઉ.વ.૧૦) અને કાંતી વિક્રમભાઈ વાઘેલા (ઉ.વ.૧૨) બગોદરાના નવાપરા વિસ્તારમાં રહેતા આ બન્ને બાળકો ગરમી અને ઉકળાટ બાદ તળાવમાં ન્હાવા માટે પડયા બાદ તળાવમાં ગરકાવ થયા હતા, ભારે અરેરાટી અને દેકારો મચ્યો હતો ત્યારે ફાયર ફાયટરો દોડી આવ્યા પરંતુ બાળકો બન્ને મૃત હાલતમાં બહાર આવતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ફાયર ફાયટરોને જાણકારી અપાતા તાત્કાલીક દોડી આવ્યા બાદ કલાકોના સમય બાદ આ બન્ને બાળકોને બગોદરા તળાવના પાણીમાંથી શોધી બહાર કાઢતા બગોદરાના દેવીપૂજક પરિવાર ઉપર આભ તૂટી પડયુ હતું.