૨ કારની ટક્કરઃ ભાવનગર-સુરતના ૩ યુવકના મોત
ભાવનગર-અમદાવાદ શોર્ટ રોડ ઉપર અઘેલાઇ નજીક બે કાર અથડાતાં ત્રણનાં મોત નિપજયા છે જયારે ૮નં ગંભીર ઇજા પહોંચી છે. (તસ્વીર મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)
ભાવનગર તા.૨: ભાવનગર-અમદાવાદ હાઇવે ઉપર અઘેલાઇ નજીક બે કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ભાવનગરના યુવાન સહિત કુલ ત્રણના મોત નિપજયા છે. જયારે આઠ ને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
મળતી વિગતો મુજબ ભાવનગર અમદાવાદ ટુંકા માર્ગ ઉપર અઘેલાઇ નજીક ઇકો કાર નં. જીજે ૧૮બીએચ ૮૪૪૪ અને ડસ્ટન કંપનની કાર નં. જીજે ૪સીઆર ૬૨૯૬ સામસામી ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ભાવનગર શહેરના વડવાનેશ વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવાન અકરમ યુનુુસભાઇ કુરેશી ઉ.વ.૨૨ તથા સુધીરભાઇ પ્રભાશંકર યાદવ ઉ.વ. ૩૨રહે સુરત તથા વાઘેલા હરીભાઇ નારાયણભાઇ નામના ત્રણ યુવાનો ના કરૂણ મોત નિપજયા છે. જયારે આઠને ગંભીર ઇજા થતા ૧૦૮ ઇમરજન્સી માં ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.