સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd May 2018

બાવાજી યુવકની હત્યા કરનાર શખ્સ પણ ઇજાગ્રસ્ત

રાત્રે મહાદેવગીરીની છરીના અસંખ્ય ઘા ઝીંકીને થયેલ હત્યા

જુનાગઢ તા.ર : જુનાગઢમાં ગઇકાલે રાત્રે બાવાજી યુવાનની હત્યા થયેલ જેમાં મરનારે પ્રતિકાર કરતા હત્યારા બાવાજી શખ્સને પણ ઇજા થઇ હોવાનું જાણવા મળેલ છ.ે

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢમાં ટીંબાવાડીમાં બિલનાથપરામાં રહેતો બાવાજી મહાદેવગીરી રાજનગીરી મેઘનાથી (ઉ.ર૦) નામનો યુવાન ગઇકાલે રાત્રે આઠ વાગ્યાના અરસામાં અહિ હાઉસીંગ બોર્ડ કોલોકીની રહેતી તેની પ્રેમીકાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો.

આ અંગેની જાણ થતા જયદીપ રમેશગીરી મેઘનાથી ધસી ગયો હતો અને છરીના સંખ્યાબંધ ઘા ઝીંકીને મહાદેવગીરીની હત્યા કરી નાખી હતી.

આ અંગેની જાણ થતા પી.એસ.આઇ. ડી.બી. વાઘેલા સ્ટાફ સાથે દોડી ગયા હતા.

મહાદેવગીરીની હત્યા અંગે તેના પિતા રાજનગીરી નરોતમગીરીએ જયદીપ મેઘનાથી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી જેમાં જયદીપની જે યુવતિ સાથે સગાઇ થયેલ તેણી સાથે મહાદેવગરીને પ્રેમ સંબંધ હોય આથી તેણીને મળવા ગયેલ જેનાથી ઉશ્કેરાઇ જઇને જયદીપે મહાદેવની હત્યા કર્યાનું જણાવ્યું  હતું.

હત્યાના આ બનાવની તપાસ ચલાવતા પી.એસ.આઇ. ડી.બી.વાઘેલાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે મૃતક મહાદેવગીરી સાથેની ઝપાઝપીમાં જયદીપને પણ ઇજા થઇ હતી હાલ આ શખ્સ પોલીસ જાપતા હેઠળ સારવારમાં છે.

જયદીપને હોસ્પિટલમાંથી રજા મળ્યેથી તેની ધરપકડ કરવામાં આવશે તેમ શ્રી વાઘેલાએ જણાવ્યું હતું

(4:13 pm IST)