સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd May 2018

વિજપડીના પાણી પ્રશ્ને આંદોલનની ચીમકી

વિજપડી તા.રઃ છેલ્લા બે માસમાં પાણી માત્ર ચાર વખત જ અને તે પણ કલાક-બે કલાક મળતું હોય ઉપરાંત ગામનાં ડારમાં પણ પાણી ન હોય વિજપડીની જનતા પાણી વગર ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ પ્રશ્ને સંજયભાઇ વાઘેલાએ રજુઆતમાં  મહી પાણી નિયમિત ને પુરતા પ્રમાણમાં  પાણી આપવા તંત્રને માંગણી કરી છે. પાણી પુરવઠો નિયમિત નહીં મળે તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી છે.

હાલ વિજપડીમાં માત્ર ત્રણ ડારમાં અપુરતું પાણી છે, જેથી દસ દિવસે દસ હજારની વસ્તીમાં માત્ર એક વખત હાલ પાણી મળે છે, જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(11:48 am IST)