ચોટીલામાં કારની ઠોકરે બાઇક ચડતાં ગરાસીયા પ્રોૈઢ હસુભા ગોહિલનું મોત
સુકી ખેતી સંશોધન કચેરીમાં ડ્રાઇવર હતાં: નોકરીએથી ઘરે જતી વખતે કાળ ભેટ્યો
રાજકોટ તા. ૨: ચોટીલામાં પેટ્રોલ પંપ પાસે ગરાસીયા પ્રોૈઢ બાઇક સહિત કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.
ચોટીલામાં અપનાનગરમાં થાન રોડ પર રહેતાં અને સુકી ખેતી સંશોધન કચેરીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં હસુભા રઘુભા ગોહિલ (ઉ.૫૪) ગત સાંજે સાતેક વાગ્યે નોકરી પુરી કરી પોતાનું બાઇક હંકારી ઘર તરફ જઇ રહ્યા હતાં ત્યારે જીજે૧૦સીજી-૩૬૫૭ નંબરની કારની ઠોકરે ચડી જતાં ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. ચોટીલા હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રીના મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ કાગળો કરી ચોટીલા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર હસુભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી છે.