સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd May 2018

ભાવનગરમાં સુજલામ સુફલામ ઝળ અભિયાન

બોર તળાવને ઉંડુ ઉતારવાના કામનો પ્રારંભઃ ભાવનગરઃ સુજલામ સુફલામ જળઅભિયાન નો બોરતળાવ ખાતેથી રાજયકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ અને યાત્રાધામ વિભાગના મંત્રી વ્ભિારીબેન દવેના હસ્તે પ્રારંભ કરવામાં આવેલ બોરતળાવને ઉંડુ ૈઉતારવાનું કાર્ય લોકભાગીદારીથી કરવામાં આવશે. જેમાં જે.સી.બી., ડમ્પર તથા ટ્રેકટર સહિતની સાધન સામગ્રી ખેડુતોની રહેશેે અને કોર્પોરેશન દેખરેખ રાખશે તેમજ કાંપ લઇ જનારનીરોયલ્ટી માફ કરવામાં આવી છે. પ્રથમ દિવસે દસ જેટલા જેસીબી બોરતળાવ ઉંડુ ઉતારવા કામે લાગ્યા હતા. આ પ્રસંગે મેયર નિમુબેન બાંધણીયા, ડે.મેયર મનભા મોરી, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન સુરેશ ધાંધલીયા, શહેર ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, યુવરાજસિંહ ગોહિલ, મહામંત્રી મહેશભાઇ રાવળ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહયા હતા.

(11:42 am IST)