જુનાગઢમાં યુવતિનો પંખા સાથે લટકીને ગળાફાંસો
વૃધ્ધે પણ બિમારીથી કંટાળી ફાંસો ખાધો
જુનાગઢ તા.ર : જુનાગઢમાં એક યુવતિએ પંખા સાથે લટકીને ગળાફાંસો ખાઇ લેતા અરેરાટી પ્રસરી ગઇ હતી.
જુનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આપઘાતનું પ્રમાણ વધુ હોય તેમ શહેરની વધુ બે વ્યકિતએ મોતની સોડ તાણી હોવાનું પોલીસ દફતરે નોંધાયુ છે.
જેમાં જુનાગઢમાં ગોધાવાવ પાટી વાલ્મીકી વાસમાં રહેતી મહિમા રાજેશભાઇ વાળા ઉ.વ.૧૮ નામની યુવતીએ બપોરના પોતાના ઘરે ઇલેકટ્રીક પંખા સાથે ઓઢણી વડે લટકીને ગળાફાંસો ખાતા તેણીને તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ.
જયાં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ. મહિમાના આપઘાત પાછળનું કારણ બહાર આવેલ નથી. વિશેષ તપાસ એ ડીવીઝનના એએસઆઇ વી.આર. કોદાવલા ચલાવી રહયા છે.
આ જ પ્રમાણે જુનાગઢના રાયકાનગરમાં રહેતા રણછોડભાઇ નારણભાઇ ખોલીયા (ઉ.વ.૭૦)એ બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ લેતા ગમગીની વ્યાપી ગઇ હતી.