ધોરાજીમાં લાપતા થયેલા વિદ્યાર્થીનું માતા-પિતા સાથે મિલન
ધોરાજી, તા. ર : નવનિયુકત પીઆઇ એલ.એલ. ભટ્ટેએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં નવા પીઆઇનો ચાર્જ સંભાળતા જ ધોરાજીના કંસારા ચોકમાં રહેતા ધનસુખભાઇ રતીલાલ નાંઢાએ પોલીસ સ્ટેશને આપી પીઆઇને જણાવેલ કે મારો પુત્ર જયદીપ તે ધોરાજીની શાળા નં.૧૧માં ધોરણ ૪માં અભ્યાસ કરે છે અને ૧ર/૩૦ વાગ્યે છૂટીને ઘેર પરત નહી આવેલ. આ વાતની પીઆઇ ભટ્ટે પીએસઆઇ મીઠાપરા તથા સ્ટાફે સ્કૂલ તથા બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન સહિતના જુદા જુદા માણસોની અવજવર વાળા વિસ્તારો ચેક કરેલ અને લાંબી હેરાનગીરી બાદ જયદીપ જે ધોરણ ૪નો વિદ્યાર્થી છે તે કે.ઓ. શાહ કોલેજ મેદાનમાં દફતર સાથે જોતા પોલીસે પૂછપરછ કરતા તે જયદીપ નાંઢા હોવાનું જણાવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો અને તેના માતા-પિતાને બોલાવી તેના વહાલાસોયા પુત્રને સોંપેલ આ તકે જયદીપના તિા ધનસુખભાઇ નાંઢા અને તેની માતા ચેતનાબેનની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતાં.