તળાજા વોર્ડ-૬માં કોંગ્રેસ અને વોર્ડ નં. ૭માંથી અપક્ષ ઉમેદવારી
કાલે બપોરે બંને પક્ષો નામોની જાહેરાત કરશે : ૧૦પ ઉમેદવારી પત્રો ઉપડ્યા
તાળાજા, તા. ર : તળાજાનગર પાલીકાની ચૂંટણી પક્ષ અને વ્યકિતઓ માટે આ વખતે કસમકશનો જંગ બની રહેશે. ઉમેદવારી નોંધાવાના હવે બે દિવસ જ બાકી છે. તેમ છતાં બંને મુખ્ય રાજકીય હરીફ પક્ષો હજુ તમામ વોર્ડની પેનલો નક્કી કરવામાં હાર-જીતનું ગણિત લગાવી રહ્યા છે. તેના કારણે એકપણ પક્ષની આખેઆખી સાતેય વોર્ડની પેનલોના નામો જાહેર કરી શકયા નથી.
વોર્ડ નં. ૬માંથી કોંગ્રેસના સરવૈયા દિવ્યાબા મહેન્દ્રસિંહ (ઇન્દાણી ગેસ) સહિતના ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યો છે. જયારે વોર્ડ નં. ૭માંથી અપક્ષ ઉમેદવાર ચુડાસમા અક્ષયભાઇએ શ્રી ગણેશ કર્યા છે. કોને ભરવાના ચોથા દિવસે માત્ર ચાર ફોર્મ ભરાયા છે. તેની સાથે કુલ ૧૦પ ફોર્મ ઉપડયા છે.
જિલ્લા ભાજપ મહામંત્રી નારણભાઇ મોરીએ જણાવ્યું હતું કે બપોરએ બાકીના ચહેરાઓ પસંદ થઇ જશે અને યાદી બહાર પાડવામાં આવશે. જો કે આજે ભાજપના મોટાભાગના ને પક્ષ તરફથી તૈયારીનાં સંકેતો મળી ગયા હતા.
કોંગ્રેસ પક્ષે યુનુસભાઇ દસાડીયાના જણાવ્યા પ્રમાણે યાદી મોવડી મંડળને મોકલાઇ ગઇ છે. તમામ વોર્ડમાં કોંગ્રેસ ચૂંટણી લડશે. જે ચહેરાઓ પસંદ કરીને મોકલાયા છે. તેમા કોઇ ફેરફાર નહીં થાય તો કોંગ્રેસ સત્તા સ્થાને બેસશે.