સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st December 2021

વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં ભાજપ દ્વારા હર ઘર દસ્તક કાર્યક્રમ અંતર્ગત ડોર ટુ ડોર સંપર્ક શરૂ કરાયો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ જિલ્લામાં હર ઘર દસ્તક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મારું ઘર રસીકરણ યુક્ત કોરોના મુક્ત છે, હર ઘર દસ્તક કાર્યક્રમ અંતર્ગત બારેજા વોર્ડ નંબર 3 માં અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી સહિતના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
  ‘મારું ઘર’ રસીકરણ યુક્ત, કોરોના મુક્ત’ હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત વિરમગામ ખાતે વોર્ડ નં: ૬ માં કાર્યકર્તા મિત્રો સાથે ‘ડોર ટુ ડોર’ સંપર્ક કરવામાં આવ્યો હતો તેમ અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપસિંહ ડોડીયા એ જણાવ્યું હતું

(7:06 pm IST)