સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st December 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 22 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 15 કેસ,કેશોદ,માંગરોળ અને વિસાવદરમાં 2-2 કેસ,માણાવદરમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 22 પોઝીટીવ કેસ  નોંધાયા છે જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલ કોરોનાના નવા 22 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 15 કેસ,કેશોદ,માંગરોળ અને વિસાવદરમાં 2-2 કેસ,માણાવદરમાં 1 કેસ નોંધાયો  છે

(8:25 pm IST)