સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st December 2020

દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવ ગતિ મંદ પડી, માત્ર ભાણવડમાં જ ત્રણ કેસ

ખંભાળીયા તા. ૧ : દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીનો વેગ મંદ પડયો છે. ગઇકાલે ખંભાળીયા, કલ્યાણપુર તથા દ્વારકા તાલુકામાં એક પણ નવા કોરોના પોઝિટિવ કેસ ના નોંધાતા માત્ર ભાણવડમાં જ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા તો તેના આગલા દિવસે પણ માત્ર ભાણવડમાં જ બે કેસ નોંધાયા હતા. જ્યારે બાકીના ત્રણ તાલુકાઓમાં બે દિવસથી એકપણ નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.

ભાણવડ શહેરમાં બે પોઝિટિવ કેસ તથા ગ્રીન પાર્ક સોસાયટી વેરાડમાં એક એમ ત્રણ કેસ નવા નોંધાયા હતા. જ્યારે ૫૮ કેસ પોઝિટિવ એકટીવ સાથે ખંભાળીયાનો એક દર્દી ડિસ્ચાર્જ થયો હતો.

(1:00 pm IST)