જુનાગઢમાં કર્મયોગી કિલનીક એન્ડ ડેન્ટલ કેર સેન્ટરનો શુભારંભ
જુનાગઢઃ જુનાગઢ સુભાષ પાણીપુરીવાળા વિનુભાઇ વસવેલીયાના પુત્ર, પુત્રવધુ તેમજ ભત્રીજી સહીત વસવેલીયા પરિવારના ૩ સભ્યો ડોકટર છે અને તેઓ દ્વારા જોષીપરાના આંબાવાડી-૨ વીડીભો કારખાના પાસે રવિવારના રોજ કર્મયોગી કિલનીક એન્ડ ડેન્ટલ કેર ડેકેરનો શુભારંભ વસવેલીયા પરિવારના મોભિ નટવરલાલ મગનલાલ વસવેલીયા અને શ્રીમતી હંસાબેન વસવેલીયાના હસ્તે કરવામાં આવેલ અને દિપ પ્રાગટય વિધી કરી ખુલ્લુ મુકાયુ હતું. ડો.જગત વી વસવેલીયા (એમબીબીએસ) ડો.જલ્પા જે વસવેલીયા (એમ બીએચડીએમ સીએમ બીએચએમએસ/ તેમજ ડો.અમી વસવેલીયા (બીડીએસ) સહીત આ ત્રણેય તબીબોની ટુકડી ડેન્ગ્યુ મેલેરીયા ટાઇફોઇડ જેવા રોગોનું નિદાન સારવાર તેમજ બીપી, ડાયાબીટીસ અને બાળરોગ સ્ત્રીરોગ તેમજ ન્યુમોનિયા જેવા રોગોનું નિદાન સારવાર રાહતદરે કરશે તેમજ દાંતના ડોકટર પેઢાના રોગો દાંતના મુળીયાની સારવાર રૂટ કેનાલ ટ્રીટમેન્ટ (RCT) સહિતની સારવાર મધ્યમ વર્ગના દર્દીઓને રાહતદરે આપવામાં આવશે. ઉદઘાટન પ્રસંગ અકિલાના પત્રકાર વિનુભાઇ જોશી ખાસ ઉપસ્થિત રહી આ ડોકટરોની ટીમને શુભેચ્છા આપી હતી. કાયક્રમને સફળ બનાવવા વિનુભાઇ, મનિષભાઇ તથા પંકજભાઇ અને સમગ્ર વસવેલીયા પરિવારે જહેમત ઉઠાવી હતી.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા. જુનાગઢ)