સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st December 2020

સોમનાથમાં કેશુભાઇ પટેલની સ્મૃતિમાં રકતદાન કેમ્પ

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ સ્વ. કેશુભાઇ પટેલની માસિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ રકતદાન કેમ્પમાં ૧૦૧ લોકોએ રકતદાન કર્યું હતું. કેમ્પનો પ્રારંભ શ્રી હમીરજી સર્કલ ખાતે ભુદેવોના મંત્રોચ્ચાર અને દિપપ્રાગટય દ્વારા કરવામાં આવેલ. થેલેસીમીયા ગ્રસ્ત બાળકો, તેમજ જરૂરીયાતમંદ લોકોને નિઃશુલ્ક રકત મળશે. આ કેમ્પમાં સ્વ. કેશુભાઇ પટેલના પુત્ર ભરતભાઇ પટેલ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, સોમનાથ ટ્રસ્ટના એકઝીકયુટીવ ઓફીસર તથા કર્મચારીઓ, સ્થાનિક લોકો, શ્રેષ્ઠીઓ, જ્ઞાતિ આગેવાનો, રાજકીય હોદેદારો સહિત લોકોએ કેમ્પની મુલાકાત લીધી હતી. કેમ્પના રકતદાન કરનાર દાતાઓનેસોમનાથ મહાદેવની પ્રસાદી આપી વિશેષ સન્માનીત કરવામાં આવેલ હતા. સ્વ.કેશુભાઇ પટેલની યાદીસ્વરૂપ સોમનાથ વર્તમાન અંકની નકલો ઉપસ્થિત સર્વેને આપવામાં આવેલ હતી. આ કેમ્પને સફળ બનાવવા સોમનાથ ટ્રસ્ટ, હમીરજી ગોહિલ સ્મારક ટ્રસ્ટ, શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપના સંયુકત ઉપક્રમે જહેમત ઉઠાવેલ હતી. રકતદાન કેમ્પના પ્રારંભેદીપ પ્રાગટય કરવામાં આવેલ તે તસ્વીર. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(11:35 am IST)