News of Tuesday, 1st December 2020
શહીદ વિરોને ગોંડલ એબીવીપી દ્વારા શ્રધ્ધાંજલી
ગોંડલ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ૨૬-૧૧ તાજ હોટલ પર થયેલા આતંકવાદી હુમલામાં વીરગતિ પામેલા વિરોને જેલચોક ખાતે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાએ એકઠા થઇ ભાવભરી શ્રધ્ધાંજલી અપાઇ હતી. આ તકે અશ્વિનભાઇ નગરમંત્રી તેજશભાઇ પાઠક તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થીપરિષદના કાર્યકરો હાજર રહ્યા હતા.
(11:35 am IST)