News of Friday, 1st December 2017
જસદણના બળધોઇમાં ઝેર પી લેનારા જેરામભાઇ કોળીનું મોત
માનસિક તકલીફને કારણે પગલું: રાજકોટમાં દમ તોડ્યો
રાજકોટ તા. ૧: જસદણના બળધોઇ ગામે રહેતાં જેરામભાઇ વીરાભાઇ મીઠાપરા (ઉ.૫૫) નામના કોળી આધેડે બે દિવસ પહેલા ઝેરી દવા પી લેતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે તેનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જેરામભાઇ પાંચ ભાઇ અને ચાર બહેનમાં મોટા હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. પત્નિ ગુજરી ગયા પછી તે માનસિક અસ્વસ્થ જેવા થઇ ગયા હતાં. આ કારણોસર તેણે કંટાળીને ૨૯મીએ ઝેર પી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું. સંતાનમાં બે પુત્રી છે. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી જસદણ પોલીસને જાણ કરી છે.
(11:55 am IST)