ભુજ પોલીસ જાપ્તામાંથી નાસી છુટવાના ગુન્હામાં નિખીલ દોંગાના જામીન મંજુર
ગોંડલનો નિખિલ દોંગા ગુજસીટોકમાં જેલમાં ધકેલાયો છે
રાજકોટ તા. ૧ : ભુજ જેલ હવાલે રહેલ ગોંડલના નામચીન નિખીલ દોંગાના પોલીસ જાપ્તામાંથી નાશી છૂટવાના ગુન્હામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિખિલ દોંગાના જામીન મંજુર થયાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નિખીલ દોંગા સામે ગુજસીટોક સહિતના અસંખ્ય ગુન્હાઓ જુદા-જુદા પોલીસ મથકોમાં નોંધાયા હતા.
જેના આધારે આરોપીની ધરપકડ થયા બાદ હાલમાં નિખલ દોંગા ભુજ જેલ હવાલે હોય તે થોડા સમય પહેલા ભેજ જેલ પોલીસ જાપ્તામાંથી નાશી ગયો હતો.
આ દરમિયાન પોલીસ જાપ્તામાંથી નાશી જવાના ગુન્હામાં નિખીલ દોંગાએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરતા જસ્ટીસ ગીતાગોપી મેડમે તેના જામીન મંજુર કર્યાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજસીટોકના ગુન્હામાં નિખીલ દોંગ જેલ હવાલે છે દરમિયાન એક ટીવી ન્યુઝ ચેનલે ૩૧ ડિસેમ્બરે પોતે ગોંડલ આવી રહ્યા છે. તેવુ જણાવતા ગોંડલ અને રાજકોટ જીલ્લામાં ભારે ચકચાર જાગી છ.ે
આગામી વિધાનસભાની ચુંટણીમાં ટીકીટ માટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા વચ્ચે ટિકીટ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. એ દરમિયાન ચાલુ માસના અંતે નિખીલ દોંગા આવી રહ્યા છે તેવા સમાચાર જાહેર થતા ભારે ચકચાર જાગેલ છે.