માણાવદરમાં કોર્ટ કમ્પાઉન્ડમાં અગ્નિસ્નાન કરી લેનાર વૃધ્ધાનું સારવારમાં મૃત્યુ
બે શખ્સો સામે મરવા મજબુર કર્યાની ફરીયાદ
(વિનુ જોશી) જુનાગઢ, તા., ૧: માણાવદર ખાતે કોર્ટ કમ્પાઉન્ડમાં અગ્નિસ્નાન કરી લેનાર વૃધ્ધનું સારવાર દરમ્યાન મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મૃતકના પુત્રએ બે શખ્સો સામે મરવા મજબુર કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
માણાવદરમાં ઉદ્યોગપતિ નગર તેમા રહેતા ૬૮ વર્ષીય ધીરજલાલ ઉર્ફે ધીરૃભાઇ રણછોડભાઇ ગોહેલને તેમનું મકાન હરીલાલ કાન્તીલાલ કવા અને સુભાષ કુડેુચા નામના શખ્સોએ સસ્તા ભાવે રૃા. સાત લાખમાં વેચી દેવા માટે દબાણ કરી મારકુટ કરવાની ધમકી આપી હતી.આથી ગત તા.ર૮ જુલાઇના રોજ ધીરૃભાઇ ગોહેલે માણાવદર કોર્ટના કમ્પાઉન્ડમાં પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દીધી હતી. આ વૃધ્ધનું અમદાવાદ ખાતે ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું.આ અંગે મૃતકના પુત્ર ગિરીશભાઇએ ગઇકાલે હરીલાલ અને સુભાષ સામે ધીરૃભાઇ ગોહેલને મરવા મજબુર કર્યાની ફરીયાદ કરતા ઇન્ચાર્જ પીએસઆઇ જે.એચ.કછોટે તપાસ હાથ ધરી છે.