પોરબંદરના બોખીરા ગામે પત્નિ ઉપર ખૂની હુમલો કરવાના મામલે ઝડપાયેલ પતિને નિર્દોષ ઠરાવતી પોરબંદર ડીસ્ટ્રીકટ કોર્ટ
આરોપી પતિએ ચારિત્ર્યની શંકાને લઇ પત્નિ ઉપર જીવલણે હુમલો કર્યો હતો
પોરબંદર : બોખીરા મુકામે સને -ર૦૧૮ ની સાલમાં પત્નીનું ખૂન કરી નાંખવાનો ઇરાદે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવાના કિસ્સામાં આરોપી પતિને નિર્દોષ ઠરાવી છોડી મુકવા પોરબંદરની નામ. ડીસ્ટ્રીકટ કોર્ટે હુકમ કર્યો છે.
અત્રે પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર તાલુકાના બોખીરા ગમના રહીશ દિનેશ ભીખુભાઈ સોમૈયા ની સામે ફરીયાદી પુનમબેન વા/ઓ. દિનેશભાઇ ભીખુભાઇ સોમૈયાએ ઉદ્યોગનગર પોલીસ, સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી જાહેર કરેલ કે; (તેણીના પતિ આરોપી દિનેશ ભીખુભાઈ સોમૈયાએ તેણીની ઉપર ચારીત્ર્ય બાબતે શંકા કરી અને તારે કોઈના ઘરમાં બેસવું હોય તેવી શંકાના કારણે આરોપીએ ફરીયાદીને મારી નાંખવાના ઈરાદે કુહાડીના ઉપરા-છાપરી ઘા મારી ફરીયાદીને ડાબા હાથના ખંભા ઉપર તેમજ વાસાના : ભાગે ગંભીર ઈજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુન્હો આચરેલ હોવાની ફરીયાદ આપતાં પોલીસે અરોપીઓની સામે ધોરણસરનો આઈ.પી.સી. કલમ-૩૦૭, ૫૦૬ (ર) તથા જી.પી.એકટની કલમ-૧૩૫ મુજબનો ગુન્હો નોંધી આરોપીની અટક કરી નામ. કોર્ટમાં રજુ કરેલ,
ત્યારબાદ સદરહું ગુન્ડા અન્વયે તપાસના અંતે યોગ્ય પુરાવો જણાતા આરોપીઓની સામે પોરબંદરની નામ. કોર્ટમાં ચાર્જશીટ રજુ રાખેલ, આરોપીઓ સામે નામ. ડીસ્ટ્રીકટ કોર્ટમાં સેશન્સ કેસ રજીસ્ટરે લઈ આરોપી તથા ફરીયાદ પક્ષનો પુરાવો નોંધવામાં આવેલ જેમાં ફરીયાદ પક્ષે લેખીત-મૌખિક પુરાવાઓ રજુ રાખેલા, ત્યારબાદ આ કામના આરોપી પક્ષે રોકાયેલા પોરબંદરના એડવોકેટ જે.પી. ગોહેલે . કોર્ટ સમક્ષ દલીલો કરતાં જણાવેલ કે, સમગ્ર કેસ જોતા આ કામમાં આરોપીઓ તદ્દન નિર્દોષ છે. ખોટી રીતે હાલના કામે સંડોવી દેવામાં આવેલ હોય, અને ખરેખર આ કામના ફરીયાદી કે, જેઓ આરોપીના પત્ની થતાં હોય, અને બન્ને પતિ-પત્ની વચ્ચે અણબનાવો ચાલતાં હોય જેનો રાગદ્રેષ રાખી અને હેરાન-પરેશાન કરવાના ઈરાદાથી ખોટી ફરીયાદ નોંધાવેલી હોય, એટલું જ નહી મૂળ ફરીયાદીશ્રી પોતાની ફરીયાદમાં આરોપીની સામે કરેલા આક્ષેપો સમગ્ર ટ્રાયલ દરમ્યન નિશંકપણે સાબિત કરી શકેલા ન હોય, અને કાયદા મુજબ આક્ષેપો સાબિત કરવા તે ફરીયાદ પક્ષની જવાબદારી રહેલી હોય, જયારે આ કામે રેકર્ડ તેમજ રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓ જોતા આ કામના ફરીયાદ પક્ષ આરોપીઓ સામે હાલનો કેસ નિશંકપણે સાબિત કરવામાં સદ્દતર નિષ્ફળ ગયેલા હોય, આવા ખોટા ગન્્હાના કામે આરોપીઓને તકસીરવાન ઠરાવી ન શકાય તે મતલબની દલીલો કરી આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાની નામ. કોર્ટ સમક્ષ અરજ ગુજારેલી.
નામ. કોર્ટે બન્ને પક્ષકારોને સાંભળી તેમજ પુરાવાનું મુલ્યાંકન કરી અને અંતે આ કામના આરોપીઓ યક્ષે રજુ થયેલ દલીલો ધ્યાને રાખી સદર ગુન્હાના કામે તમામ આરોપી પતિને હાલના ગુન્હાના કામે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામમાં આરોપીઓ પક્ષે પોરબંદરના વિધ્વાન વકીલશ્રી જે.પી. ગોહેલ એમ.જી.શીંગરખીયા, એન.જી.જોષી, વી.જી.પરમાર, રાહુલ એમ. શીંગરખીયા, એમ.ડી.જુંગી, પી.બી.પરમાર, જીજ્ઞેશ ચાવડા તથા મયુર સવનીયા રોકાયેલા હતા.