ભાવનગરમાં ૪૪ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : ૪૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત
જિલ્લામાં નોંધાયેલા ૧,૪૪૭ કેસો પૈકી ૪૪૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ
ભાવનગર: ભાવનગર જિલ્લામા આજરોજ ૪૪ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૪૪૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૫ સ્ત્રી મળી કુલ ૧૬ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ભુંભલી ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના રંડોળા ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના રતનપર ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૩, સિહોરના આંબલા ગામ ખાતે ૩, સિહોરના બોરડી ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, તળાજા ખાતે ૩, તળાજાના બેલડા ગામ ખાતે ૧, તળાજાના ટાઢાવડ ગામ ખાતે ૧, તળાજાના કુંઢેલી ગામ ખાતે ૧, તળાજાના ભેગડી ગામ ખાતે ૧, તળાજાના દાઠા ગામ ખાતે ૧, તળાજાના નવી કામરોલ ગામ ખાતે ૧, તળાજાના પ્રતાપરા ગામ ખાતે ૧, ઉમરાળાના દેવળીયા ગામ ખાતે ૩, ઉમરાળા ખાતે ૧, ઉમરાળાના ધોળા ગામ ખાતે ૧ તથા વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૨૮ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૫ અને તાલુકાઓના ૨૯ એમ કુલ ૪૪ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧,૪૪૭ કેસ પૈકી હાલ ૪૪૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૯૬૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૨૬ દર્દીઓનુ અવસાન થયેલ છે.