સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

માણાવદરનાં વાડાસડા ગામે વાડીમાં ચાલતા જુગારધામનો પર્દાફાશઃ ૮ જુગારી ઝબ્બે, ૧૧ નાસી ગયા

રોકડ અને વાહનો સહિત રૂ. બે લાખનો મુદામાલ કબ્જે

જૂનાગઢ તા. ૧ :.. માણાવદરના વાડાસડા ગામે વાડીમાં ચાલતા જૂગારધામનો પોલીસે પર્દાફાશ કરી ૮ જૂગારીને ઝડપી લીધા છતાં અને રૂ. બે લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

જો કે ૧૧ જુગારીઓ નાસી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

માણાવદર તાલુકાનાં વાડાસડાનો રામ આલાભાઇ મિયાત્રા તેની વાડીએ ખુલ્લામાં જૂગાર રમાતો હોવાની બાતમી પીએસઆઇ પ્રકાશ ધોકડવાને મળતાં સ્ટાફનાં વિપુલ ગોહેલ, વિક્રમ ગરચર, નિલેશ ધ્રાંગડ વિજય કારાવદરા અને કરમણભાઇ ચાવડાએ દરોડો પાડયો હતો.આ કાર્યવાહી દરમ્યાન જૂગાર રમી રહેલા ૧૬ શખ્સોમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે દરોડામાં મગન દેવશી માકડીયા સહિત આઠ શખ્સોને રૂ. ૭૯રપ૦ ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતાં.

વાડી માલીક રામ મિયાત્રા અને અન્ય ૧૦ જૂગારી નાસી ગયા હતાં. પોલીસે શકુનીઓ પાસેથી રૂ. બે લાખનો મુદામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:45 am IST)