સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

સુરેન્દ્રનગરમાંથી ૧૦ કોરોના દર્દીઓ સ્વસ્થતા અનુભવતા રજા અપાઇ

સુરેન્દ્રનગર,તા.૧: સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની  યાદીમાં જણાવ્યા પ્રમાણે શાંતિલાલ રતિલાલ, મનસુખભાઈ શંકરલાલ, દિનેશભાઈ ગોરધનદાસ, હરેશભાઈ ઝવેરભાઈ પટેલ, ચંદ્રકાંત શીવલાલ,   ઉગરીબેન ખીમાભાઈ લકુમ,  કાંન્તાબેન ભીખાભાઈ પ્રજાપતિ, મેધજીખાન હુસેનખાન મલેક અને  નિતાબેન હસમુખભાઈ તથા  હરેક્રિષ્નભાઈ કરશનભાઈને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

તેમની સઘન સારવાર બાદ આ તમામ દર્દીઓને તાવ,ઙ્ગશરદી,ઙ્ગખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૩૧  ના રોજ કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

(11:24 am IST)