સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st August 2020

મોરબીમાં કોરોનાના વધુ ચાર કેસ : જામનગરથી સેમ્પલના રીપોર્ટ બાકી

વધુ ૧૫ દર્દીઓને રજા અપાઇ

મોરબી તા. ૧ : મોરબીમાં શુક્રવારે કોરોનાના વધુ ચાર કેસો નોંધાયા છે તો ૧૫ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જોકે જામનગરની લેબોરેટરીના સેમ્પલ રીપોર્ટ આવવાના બાકી છે.

મોરબીમાં નવા ચાર કેસમાં નવલખી રોડના રહેવાસી ૪૩ વર્ષના પુરુષ, સુદર્શન સોસાયટી રાઘવ એપાર્ટમેન્ટના રહેવાસી ૫૪ વર્ષના પુરૂષ, સર્કીટ હાઉસ રોડ પરની શિવમ સોસાયટીના ૫૮ વર્ષના મહિલા અને ૫૬ વર્ષના પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. શુક્રવારે વધુ ૧૫ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે અને ૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મોરબી જીલ્લામાં નવા ચાર કેસો સાથે કુલ કેસનો આંક ૩૪૧ પર પહોંચ્યો છે જેમાં ૧૩૭ એકટીવ કેસ, ૧૮૩ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે જીલ્લામાં કુલ ૨૧ દર્દીના મૃત્યુ થયા છે.

(10:28 am IST)