સુરેન્દ્રનગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખના પુત્રનું ડેન્ગ્યુમાં મૃત્ય
વઢવાણ,તા. ૧: અહીંનીૅ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા ના યુવાન પુત્રનું અમદાવાદની હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત નિપજતા સુરેન્દ્રનગર શહેરમાં તેમજ નગરપાલિકામાં શોકનો માહોલ સર્જાયો હતો ચોમાસાની સિઝન શરૂ પણ નથી થઇ ત્યાં પૂર્વ ઉપપ્રમુખના પુત્ર કુણાલ પંડ્યા નું મોત નિપજતા સામાન્ય જનતાનું શું એવો પ્રશ્ન ઉદભવી રહ્યો છે.
કુણાલ પંડ્યાના હજુ તાજેતરમાં લગ્ન થયાં છે ત્યારે તેનું અચાનક ડેન્ગ્યુના કારણે અમદાવાદ સારવાર દરમિયાન મોત નીપજતા અરેરાટી ભર્યો માહોલ સર્જાવા પામ્યો છે સ્મશાનયાત્રામાં નગરપાલિકાના સદસ્ય તેમજ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ શહેરના અનેક આગેવાનો પણ જોડાયા હતા ત્યારે પંડ્યા પરિવારમાં યુવાન પુત્રના અચાનક અવસાનથી ભારે શોકની લાગણી છવાઈ જવા પામી છે.